તમારા માયલોગ્રામ વિશે

શેર
વાંચવાનો સમય: વિશે 7 મિનિટો

આ માહિતી મેમોરિયલ સ્લોઅન કેટરીંગ (MSK) માં તમારા માયલોગ્રામ માટે તૈયાર થવામાં તમને મદદ કરશે.

માયલોગ્રામ એક એવી પ્રોસીઝર છે જેમાં તમારી કરોડ, કરોડરજ્જુ અને તેની આસપાસની પેશીઓની તપાસ કરવામાં આવે છે. તમારા માયલોગ્રામ દરમિયાન, તમારા ડૉક્ટર તમારી સ્પાઈનલ કેનાલમાં કોન્ટ્રાસ્ટ ડાઈ ઈન્જેક્ટ કરશે. આનાથી તમારી કરોડરજ્જુ અને એની આસપાસની પેશીઓ]ને વધુ સ્પષ્ટ રીતે જોવામાં તમારા ડૉક્ટરને મદદ મળશે. કોન્ટ્રાસ્ટ ડાઈ તમારી કરોડરજ્જુમાં દરેક જગ્યાએ પ્રસરી જાય પછી તમારા ડૉક્ટર તમારી કરોડના ફોટો લેશે.

પ્રક્રિયા પહેલા

તમારા સ્વાસ્થ્ય સારવાર પ્રદાતા સાથે વાત કરો જો તમને:

  • ઇન્ટ્રાવેનસ (IV) કોન્ટ્રાસ્ટ ડાઈ પ્રત્યે એલર્જી હોય. કોન્ટ્રાસ્ટ ડાઈ એવી ખાસ ડાઈ છે જે તમારા સ્વાસ્થ્ય સારવાર પ્રદાતા માટે તમારા આંતરિક અંગો જોવાનું કામ સરળ બનાવે છે.
  • પીડા અથવા શ્વાસ લેવાની સમસ્યાના કારણે તમારા પેટ પર સપાટ ઉંધા સૂઈ શકતા ન હોવ.
  • પ્રોક્લોરોપીરેઝાઈન (Compazine®) લો. તમારી પ્રોસીઝરના 24 કલાક (1 દિવસ) પહેલા તમારે એ લેવાનું બંધ કરવાની જરૂર પડશે. જો તમને જરૂર પડે તો તમારા સ્વાસ્થ્ય સારવાર પ્રદાતા તમને બીજી કોઈ દવા લખી આપશે.

તમારી દવાઓ વિશે પૂછો

તમારી સર્જરી પહેલા તમારે તમારી કેટલીક દવાઓ લેવાનું બંધ કરવાની જરૂર પડી શકે છે. કઈ દવાઓ લેવાનું બંધ કરવું તમારા માટે સલામત છે તે વિશે તમારા આરોગ્યસંભાળ પ્રદાતા સાથે વાત કરો. અમે નીચે કેટલાંક સામાન્ય ઉદાહરણો આપ્યાં છે.

લોહી પાતળું કરનાર

બ્લડ થિનર્સ (લોહીને પાતળું કરવાની દવા) એવી દવાઓ છે જે તમારા લોહીના ગંઠાવાની રીતને અસર કરે છે. જા તમે લોહી પાતળું કરતી દવાઓ લો છો, તો તમારું ઓપરેશન કરનાર આરોગ્યસંભાળ પ્રદાતાને પૂછો કે શું કરવું. તેઓ તમને દવા લેવાનું બંધ કરવાની ભલામણ કરી શકે છે. આ તમે કયા પ્રકારનું ઓપરેશન કરી રહ્યા છો અને તમે લોહી પાતળા કરવાની દવા લઈ રહ્યા છો તેના પર નિર્ભર રહેશે.

સામાન્ય લોહીને પાતળા કરનારના ઉદાહરણો નીચે દર્શાવ્યા છે. અન્ય પણ છે, તેથી ખાતરી કરો કે તમારી સંભાળ લેનારી ટીમ તમે લો છો તે તમામ દવાઓ વિશે જાણે છે. તમારી સંભાળ ટીમના કોઈ સભ્ય સાથે વાત કર્યા વિના તમારી લોહી પાતળું કરવાની દવા લેવાનું બંધ કરશો નહીં.

  • એપિક્સાબન (Eliquis®)
  • એસ્પિરિન
  • સેલેકોક્સિબ (Celebrex®)
  • સિલોસ્ટેઝોલ (Pletal®)
  • ક્લોપિડોગ્રેલ (Plavix®)
  • ડેબીગાટ્રાન (Pradaxa®)
  • ડેલ્ટેપરિન (Fragmin®)
  • ડિપાયરિડામોલ (Persantine®)
  • એડોક્સાબન (Savaysa®)
  • એનોક્સાપરીન (લવનોક્સ®)
  • ફોન્ડાપરિનક્સ (Lovenox®)
  • હેપરિન (તમારી ત્વચાની નીચે આપવામાં આવેલ)
  • મેલોક્સીકેમ (Mobic®)
  • નોનસ્ટીરોઈડલ બળતરા વિરોધી દવાઓ (NSAIDs), જેમ કે આઇબુપ્રોફેન (Advil®, Motrin®) અને નેપ્રોક્સેન (Aleve®)
  • પેન્ટોક્સિફેલાઇન (Trental®)
  • પ્રાસુગ્રેલ (Effient®)
  • રીવારોક્સાબન (Xarelto®)
  • સલ્ફાસલાઝીન (Azulfidine®, Sulfazine®)
  • ટિકાગ્રેલોર (Brilinta®)
  • ટિન્ઝાપારિન (Innohep®)
  • વોરફરીન (Jantoven®, Coumadin®)

વાંચો \How To Check if a Medicine or Supplement Has Aspirin, Other NSAIDs, Vitamin E, or Fish Oil. તેમાં દવાઓ વિશેની માહિતી છે જે તમારે તમારી સર્જરી પહેલા લેવાની ટાળવી જોઈએ.

ડાયાબિટીસ માટે દવાઓ

તમારી સર્જરી પહેલાં, આરોગ્યસંભાળ પ્રદાતા સાથે વાત કરો કે જેઓ ડાયાબિટીસ માટે તમારું ઇન્સ્યુલિન અથવા અન્ય દવા સૂચવે છે. તમે ડાયાબિટીસ માટે જે દવા લો છો તેમને તેનો ડોઝ બદલવાની જરૂર પડી શકે છે. તેમને પૂછો કે તમારા ઓપરેશનની સવારે તમારે શું કરવું જોઈએ.

તમારી સંભાળ ટીમ તમારા ઓપરેશન દરમિયાન તમારા લોહીમાં શર્કરાના સ્તરને ચકાસશે.

મૂત્રવર્ધક દવા (પાણીની ગોળીઓ)

ડ્યુરેટિક દવા એ એવી દવા છે જેના કારણે તમારે વારંવાર મૂત્ર ત્યાગ (પેશાબ) કરવા જવું પડે છે. હાઈડ્રોક્લોરોથિયાઝાઇડ (Microzide®) અને ફ્યુરોસેમાઇડ (Lasix®) સામાન્ય મૂત્રવર્ધક દવા છે.

જા તમે કોઈ મૂત્રવર્ધક દવ લો છો, તો તમારું ઓપરેશન કરી રહેલા આરોગ્યસંભાળ પ્રદાતાને પૂછો કે શું કરવું. તમારે તેને તમારા ઓપરેશનના દિવસે લેવાનું બંધ કરવાની જરૂર પડી શકે છે.

તમારી ત્વચા પરથી ઉપકરણોને દૂર કરો

તમે તમારી ત્વચા પર ચોક્કસ ડિવાઇસો પહેરી શકો છો. તમારું સ્કેન અથવા પ્રક્રિયા પહેલાં, ડિવાઇસ બનાવનાર ભલામણ કરે છે કે તમે તમારા ડિવાઇસ ઉતારો:

  • સતત ગ્લુકોઝનું મોનિટરિંગ (CGM)
  • ઇન્સ્યુલિન પંપ

તમારે તમારા ઉપકરણને બદલવાની જરૂર હોય તે તારીખની નજીક તમારી અપોઇન્ટમેન્ટના શેડ્યૂલ વિશે તમારા આરોગ્યસંભાળ પ્રદાતા સાથે વાત કરો. ખાતરી કરી લો કે તમારી પાસે તમારી સ્કેન અથવા પ્રક્રિયા પછી ચાલુ કરવા માટે તમારી સાથે એક વધારાનું ઉપકરણ છે.

જ્યારે તમારું ડિવાઇસ બંધ હોય ત્યારે તમારા ગ્લુકોઝનું સંચાલન કેવી રીતે કરવું તે વિશે તમને ખાતરી ન હોઈ શકે. જો એમ હોય તો, તમારી એપોઇન્ટમેન્ટ પહેલાં, તમારી ડાયાબિટીસની કાળજીનું સંચાલન કરતા આરોગ્યસંભાળ પ્રદાતા સાથે વાત કરો.

કોઈ તમને ઘરે લઈ જાય તે માટેની વ્યવસ્થા કરવી

ઓપરેશન પછી તમને ઘરે લઈ જવા માટે તમારી સારવાર કરનાર જવાબદાર વ્યક્તિ હોવો આવશ્યક છે. સારવાર કરનાર જવાબદાર વ્યક્તિ તે છે જે તમને સલામત રીતે ઘરે પહોંચવામાં મદદ કરી શકે છે. જો તેમને કોઈ ચિંતા હોય તો તેઓ તમારી સારવાર ટીમનો સંપર્ક કરવા માટે સમર્થ હોવા જોઈએ. તમારા ઓપરેશનના દિવસ પહેલાં તેનું આયોજન કરવાની ખાતરી કરો.

જો તમારી પાસે ઘરે લઈ જવા માટે સારવાર કરનાર જવાબદાર વ્યક્તિ ન હોય, તો નીચેની કોઈ એક એજન્સીનો સંપર્ક કરો. તેઓ તમારી સાથે ઘરે જવા માટે કોઈને મોકલશે. આ સેવા માટે શુલ્ક છે અને તમારે પરિવહન પૂરું પાડવું પડશે. ટેક્સી અથવા કાર સેવાનો ઉપયોગ કરવો એ બરાબર છે, પરંતુ તમારે હજી પણ તમારી સારવાર કરનાર જવાબદાર વ્યક્તિની જરૂર છે.

ન્યુ યોર્કમાં એજન્સીઓ ન્યુ જર્સીમાં એજન્સીઓ
વીએનએસ (VNS) સ્વાસ્થ્ય: 888-735-8913 સંભાળ રાખનારા લોકોના સંપર્ક નં.: 877-227-4649
સંભાળ રાખનારા લોકોના સંપર્ક નં.: 877-227-4649  

મુસાફરી

તમારી પ્રોસીઝરના 24 કલાકની અંદર જો તમારે એરપ્લેનમાં બેસીને મુસાફરી કરવાનું કોઈ આયોજન હોય તો તમારા સ્વાસ્થ્ય સારવાર પ્રદાતા સાથે વાત કરો.

જો તમે બીમાર હોવ તો અમને જણાવો

જો તમે તમારા ઓપરેશન પહેલાં બીમાર (તાવ, શરદી, ગળામાં દુઃખાવો અથવા ફ્લૂ સહિત) પડો, તો તમારા આઈઆર ડૉક્ટરનો સંપર્ક કરો. તમે તેમને સોમવારથી શુક્રવાર સુધી સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી કોલ કરી શકો છો.

સાંજે 5 વાગ્યા પછી, શનિ-રવિ અને રજાઓમાં, 212-639-2000 પર કોલ કરો. કોલ પર ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી ફેલો માટે પૂછો.

તમારી પ્રોસીઝરના સમયની નોંધ કરો

તમારી પ્રોસીઝરના 2 કામકાજના દિવસો પહેલા (સોમવારથી શુક્રવાર સુધીમાં) જનરલ રેડિયોલોજિમાંથી કોઈ સ્ટાફના સભ્ય તમને કોલ કરશે. જો તમારી પ્રોસીઝર સોમવારે ગોઠવી હોય, તો તમને ગુરૂવારે અગાઉ કોલ કરવામાં આવશે.

તમારી પ્રોસીઝર માટે તમારે કેટલા વાગે હોસ્પિટલ પહોંચી જવું જોઈએ એ સ્ટાફના સભ્ય તમને જણાવશે. તમારી પ્રોસીઝર માટે તમારે ક્યાં જવાનું છે એ પણ તેઓ તમને જણાવશે. તમારી પ્રોસીઝરના કાર્ય દિવસની બપોર સુધીમાં તમારા પર કોલ ન આવે તો 212-639-7298 પર કોલ કરો.

જો કોઈ કારણસર તમારે તમારી પ્રોસીઝર રદ કરવાની જરૂર પડે તો જે સ્વાસ્થ્ય સારવાર પ્રદાતાએ તમારા માટે તેને નિર્ધારિત કરી હતી એમને કોલ કરો.

તમારી પ્રક્રિયાનો દિવસ

તમારી પ્રોસીઝરના દિવસે તમે હળવું ભોજન લઈ શકો છો, સિવાય કે તમારા સ્વાસ્થ્ય સારવાર પ્રદાતા તમને બીજી કોઈ સૂચના આપે. એ યાદ રાખવું પણ અગત્યનું છે કે તમારી પ્રોસીઝર દરમિયાન તમારે તમારા પેટ પર ઉંધા સૂઈ રહેવાનું રહેશે.

 

ક્યાં પાર્ક કરવું

મેમોરિયલ હોસ્પિટલ પાર્કિંગનો નકશો

એમએસકે (MSK) નું પાર્કિંગ ગેરેજ, યોર્ક અને 1st એવન્યુ વચ્ચેની પૂર્વ બાજુએ 66મી શેરીમાં છે. જો તમને કિંમતો વિશે પ્રશ્નો હોય, તો 212-639-2338 પર ફોન કરો.

ગેરેજ પર જવા માટે, યોર્ક એવન્યુથી પૂર્વ બાજુએ 66મી શેરીમાં વળો. આ ગેરેજ યોર્ક એવન્યુથી લગભગ ચોથા ભાગનું છે. તે રસ્તાની જમણી (ઉત્તર) બાજુ છે. ત્યાં એક ટનલ છે જેમાં તમે ચાલી શકો છો જે ગેરેજને હોસ્પિટલ સાથે જોડે છે.

નીચે અન્ય પાર્કિંગ ગેરેજ પણ છે:

  • 1st અને 2nd એવન્યુની વચ્ચે પૂર્વ બાજુએ 69મી શેરી.
  • યોર્ક અને 1st એવન્યુની વચ્ચેની પૂર્વ બાજુએ 67મી શેરી.
  • 1st અને 2nd એવન્યુની વચ્ચે પૂર્વ બાજુએ 65મી શેરી.

ક્યાં જવાનું છે

425 East 67th Street પર આવેલ પ્રવેશદ્વારથી મેમોરિયલ હોસ્પિટલમાં પ્રવેશ કરો. 2જા માળે જવા R એલિવેટરનો ઉપયોગ કરો. રિસેપ્શન ડેસ્ક પર તમારા ચેક-ઈન પછી સ્ટાફ કર્મી તમને નર્સિંગ યુનિટમાં લઈ જશે.

શું અપેક્ષા રાખવી

એક વાર તમે હોસ્પિટલમાં આવી પહોંચો પછી ડૉક્ટર્સ, નર્સ અને અન્ય કર્મચારી સદસ્યો તમને એકથી વધુ વાર તમારું નામ અને જન્મ તારીખ જણાવવા માટે કહેશે. આ તમારી સલામતી માટે છે. આ જ નામના અથવા તેના જેવા નામના બીજા લોકોની પણ આ દિવસે પ્રક્રિયા કરવાની હોઈ શકે છે.

તમારી પ્રોસીઝર દરમિયાન

તમારા માયલોગ્રામનો સમય આવશે ત્યારે તમને તમારા કપડા બદલીને હોસ્પિટલ ગાઉન પહેરી લેવાનું કહેવામાં આવશે. તમારા ટેકનોલોજિસ્ટ તમને સ્કેનીંગ રૂમમાં લઈ જશે અને ફ્લોરોસ્કોપી ટેબલ પર આવવા માટે તમારી મદદ કરશે. આ ટેબલ ગાદીવાળું છે જેથી સ્કેન દરમિયાન તમે આરામદાયક સ્થિતિમાં રહી શકો. તમારા ટેક્નોલોજીસ્ટ ખાસ પ્રકારના પટ્ટા વડે તમને ટેબલ સાથે સલામત રીતે સ્થિર કરશે. આ એટલા માટે કારણ કે તમારા સ્કેન દરમિયાન ટેબલ સહેજ નમી શકે છે.

ફ્લોરોસ્કોપી ટેબલ પર એક વાર તમે આરામદાયક સ્થિતિમાં આવી જાઓ પછી તમને તમારી પીઠની નીચેના ભાગમાં લોકલ એનેસ્થેટિક (સંબંધિત ભાગને સુન્ન કરવા કે ખોટો પાડવા માટેની દવા) નું એક ઈન્જેક્શન (શોટ) આપવામાં આવશે.

એ ભાગ સુન્ન થઈ ગયા પછી તમારા રેડિયોલોજીસ્ટ તમારી કરોડરજ્જુની નાળમાં એક સોય દાખલ કરશે. તમારી પીઠની નીચેના ભાગે તમને થોડા દબાણનો અનુભવ થશે પણ તમારે સ્થિર રહેવાનું છે. તમારી કરોડરજ્જુમાંથી થોડી માત્રામાં પ્રવાહી બહાર કાઢવા તમારા રેડિયોલોજિસ્ટ એક સોયનો ઉપયોગ કરશે. પ્રવાહી બહાર નીકળી ગયા પછી કોન્ટ્રાસ્ટ ડાઈ ઈન્જેક્ટ કરવા માટે પણ તેઓ આ સોયને જ ઉપયોગમાં લેશે.

કોન્ટ્રાસ્ટ ડાઈ ઈન્જેક્ટ થઈ ગયા પછી, સ્કેનીંગ ટેબલને સહેજ ત્રાંસુ કરવામાં આવશે અને કોન્ટ્રાસ્ટ ડાઈ તમારી કરોડરજ્જુની નાળમાં ઉપરથી નીચે સુધી પ્રસરી જાય એ માટે તમને ધીમેથી આગળ પાછળ હલાવવામાં તમારા ટેકનોલોજિસ્ટ તમને મદદ કરશે. પછી તમારા રેડિયોલોજિસ્ટ કોન્ટ્રાસ્ટ ડાઈ તમારી કરોડરજ્જુની નાળમાં બધી જગ્યાએ પ્રસરી ગયેલ છે કે નહીં એની તપાસ કરવા ખાસ પ્રકારના એક્સ-રે નો ઉપયોગ કરશે. એક વાર કોન્ટ્રાસ્ટ પ્રસરી જાય પછી તમારા રેડિયોલોજિસ્ટ સોય બહાર કાઢશે અને જ્યાં સોય મૂકવામાં આવી હતી એ ભાગ પર એક નાનકડું ડ્રેસીંગ (પાટો) મૂકશે.

ત્યારબાદ તમારું કમ્પ્યુટેડ ટોમોગ્રાફી (CT) ઇમેજીંગ સ્કેન કરવામાં આવશે. આ સ્કેન તમારી કરોડના મણકાં (તમારી પીઠના હાડકા), તમારા મણકા વચ્ચેની જગ્યા અને કરોડર્જ્જુ સહિત તમારી કરોડના ફોટા લેશે. સ્કેન દરમિયાન તમારે સ્થિર રહેવું અગત્યનું છે.

આ આખી પ્રોસીઝરમાં 30 થી 40 મિનિટનો સમય લાગશે.

તમારા માયલોગ્રામ પછી જો તમારી રેડિએશન સિમ્યુલેશનની અપોઈન્ટમેન્ટ હોય તો તમને MSK દર્દી પરિવહન સેવા દ્વારા તમારી સિમ્યુલેશન અપોઈન્ટમેન્ટ માટે લઈ જવામાં આવશે.

તમારી પ્રોસીઝર પછી

તમારું માયલોગ્રામ પૂરું થઈ ગયા પછી, તમે તમારા કપડાં બદલશો અને તમારી સાથે જે કાંઈ લાવ્યા હો એ એકઠું કરી લેશો. તમારા રેડિયોલોજિસ્ટ તમારા સ્કેનનો રિપોર્ટ તમારા સ્વાસ્થ્ય સારવાર પ્રદાતાને મોકલી આપશે. તમારા સ્વાસ્થ્ય સારવાર પ્રદાતા તમારી ભવિષ્યની સારવારનું આયોજન કરવા માટે તમારા માયલોગ્રામના પરિણામોનો ઉપયોગ કરશે.

આડઅસરો

તમારા માયલોગ્રામ પછી તમને માથાનો દુ:ખાવો થઈ શકે છે. કેટલીક વખત આ માથાના દુ:ખાવાથી તમને ઉબકા આવતા હોય એમ લાગી શકે છે (તમને ઊલટી થશે એવું લાગ્યા કરે). જો તમને માથાનો દુ:ખાવો હોય તો તમે નીચેની વસ્તુઓ અજમાવી શકો:

  • ડૉક્ટરના કાઉન્ટર પરથી મળતી દવા લઈ શકો જેમ કે એસ્ટામાઈનોફેન (Tylenol®).
    • એસ્ટામાઈનોફેન લેતા પહેલા તમારા સ્વાસ્થ્ય સારવાર પ્રદાતા પાસે તપાસ કરાવો. જો તમને લિવર (યકૃત) ની તકલીફ હોય તો એ લેવી તમારા માટે સલામત ન હોઈ શકે.
    • 24 કલાકના સમયગાળાની અંદર 3,000 મિગ્રા કરતા વધુ એસ્ટામાઈનોફેન ન લો.
  • આડા પડ્યા રહો. આનાથી તમને સારું લાગી શકશે.
  • જેમાં કેફિન હોય એવા પીણાં લો. 1 થી 2 કપ ફોફી કે ચા અથવા સોડા જેવા બીજા કોઈ કેફિનયુક્ત પીણા પીવાનો પ્રયાસ કરો.
  • જો 2 દિવસની અંદર તમારા માથાનો દુ:ખાવો મટી જતો નથી તો તમારા સ્વાસ્થ્ય સારવાર પ્રદાતાને કોલ કરો.

તમારા મયલોગ્રામ પછી 24 કલાક સુધી ઈબુપ્રોફેન (Advil®, Motrin®) જેવી NSAID લેશો નહીં. NSAID થી રક્તસ્ત્રાવ થઈ શકે છે અને નીડલ દાખલ કરેલ જગ્યાએ જલ્દી રૂઝ આવતી નથી. વધુ માહિતી માટે વાંચો How To Check if a Medicine or Supplement Has Aspirin, Other NSAIDs, Vitamin E, or Fish Oil.

ઘરે તમારી જાતે સાર-સંભાળ લેવી

તમારા માયલોગ્રામ પછી તમે તમારો રોજીંદો આહાર લઈ શકો છો, સિવાય કે તમારા સ્વાસ્થ્ય સારવાર પ્રદાતાએ તમને બીજી કોઈ સૂચના આપી હોય.

તમારા માયલોગ્રામ પછીના પહેલા 24 કલાક સુધી:

  • વાંકા વળવાનું ટાળો.
  • સ્નાન કરશો નહીં અથવા તમારા શરીરને પાણીમાં ન રાખો જેમ કે બાથટબ, પૂલ અથવા હોટ ટબ.
  • કોઈપણ પ્રકારના NSAID લેશો નહીં.
  • સખત પ્રવૃત્તિઓથી દૂર રહો. કોઈ ભારે કામ ન કરો, ભારે રમત ન રમો અથવા ભારે વસ્તુઓ ન ઉંચકો.
  • કાર ચલાવશો નહીં અથવા કોઈ ભારે મશીનરી ચલાવશો નહીં.
  • એરપ્લેનમાં મુસાફરી ન કરશો.
  • ઓછામાં 8 થી 10 ગ્લાસ (8-ઔંશ) પ્રવાહી પીવાનો પ્રયાસ કરો, સિવાય કે તમારા સ્વાસ્થ્ય સારવાર પ્રદાતાએ તમને બીજી કોઈ સૂચના આપી હોય.
  • કોઈપણ પ્રકારના આલ્કોહોલયુક્ત પીણા ન પીશો.

24 કલાક પછી તમે સ્નાન કરી શકશો અને તમારો પાટો દૂર કરી શકશો.

તમારા સ્વાસ્થ્ય સારવાર પ્રદાતાને ક્યારે કોલ કરવો

જો તમને નીચેનામાંથી કંઈ જણાય તો તમારા સ્વાસ્થ્ય સારવાર પ્રદાતાને કોલ કરો:

  • 100.4° F (38 °C) કે તેથી વધુ તાવ.
  • તમારી પીઠ પર જ્યાં સોય મૂકવામાં આવી હતી એ જગ્યાએ ત્વચાની લાલાશ, સોજો આવવો અથવા પ્રવાહી નીકળવું. આ ચેપનો સંકેત હોઈ શકે છે.
  • તમારી પીઠ પર જ્યાં સોય મૂકવામાં આવી હતી એ જગ્યાએથી રક્ત કે પ્રવાહી બહાર નીકળવું. તમારા પાટામાંથી થોડી માત્રામાં લોહી બહાર દેખાવું એ જો કે સામાન્ય છે.
  • પીડા રાહતની દવા લીધા પછી પણ દુ:ખાવો દૂર થતો નથી.
  • તમારી પીઠની નીચેના ભાગે કે પગમાં ખાલી ચઢવી કે ઝણઝણાટી થવી.
  • 2 થી 3 દિવસ કરતા વધુ સમયથી ચાલતો માથાનો દુ:ખાવો.

છેલ્લે અપડેટ કર્યા તારીખ

સોમવાર, ફેબ્રુઆરી 22, 2021